રસાયણવિજ્ઞાન : સંકરણ નક્કી કરવાની રીત

અકાર્બનિક સંયોજનોનું સંકરણ નક્કી કરવું.

નમસ્કાર મિત્રો , આજે આપણે અકાર્બનિક સંયોજનોનું સંકરણ કઈ રીતે નક્કી કરવું તેની જાણકારી મેળવીશું . નીચેના સુત્રની મદદથી તમે સંકરણ શોધી શકશો.

અકાર્બનિક સંયોજનોનું સંકરણ નક્કી કરવું.

H= ½(V+M-C+A)

જ્યાં
H= સંકરણ આંક
V= મધ્યસ્થી પરમાણુની સંયોજકતા કક્ષાના e ની સંખ્યા
M= મધ્યસ્થી પરમાણું  સાથે જોડાયેલ એક સંયોજક આયનની સંખ્યા
c = સંયોજન પરનો ધનવીજભાર
A- સંયોજન પરનો ઋણ વીજભાર
જો H = સંકરણ આકાર
2 sp રેખીય
3 sp² ત્રિકોણ
4 sp³ ચતુષ્ફલકીય
5 sp³d ત્રિકોણીય દ્રી-પીરામીડલ
6 sp³d² અષ્ટફલકીય
7 sp³d³ પેન્ટાગોનલ દ્રી-પીરામીડલ
Previous Post Next Post